আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অৰ্থানুবাদ ছুৰা: ছুৰা আল-ইনশ্বিক্বাক্ব   আয়াত:

અલ્ ઇન્શિકાક

اِذَا السَّمَآءُ انْشَقَّتْ ۟ۙ
૧) જ્યારે આકાશ ફાટી જશે.
আৰবী তাফছীৰসমূহ:
وَاَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ۟ۙ
૨) અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا الْاَرْضُ مُدَّتْ ۟ؕ
૩) અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَاَلْقَتْ مَا فِیْهَا وَتَخَلَّتْ ۟ۙ
૪) અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
আৰবী তাফছীৰসমূহ:
وَاَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ۟ؕ
૫) અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
আৰবী তাফছীৰসমূহ:
یٰۤاَیُّهَا الْاِنْسَانُ اِنَّكَ كَادِحٌ اِلٰی رَبِّكَ كَدْحًا فَمُلٰقِیْهِ ۟ۚ
૬) હે માનવી ! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
আৰবী তাফছীৰসমূহ:
فَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ ۟ۙ
૭) પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
فَسَوْفَ یُحَاسَبُ حِسَابًا یَّسِیْرًا ۟ۙ
૮) તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَّیَنْقَلِبُ اِلٰۤی اَهْلِهٖ مَسْرُوْرًا ۟ؕ
૯) અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.
আৰবী তাফছীৰসমূহ:
وَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ وَرَآءَ ظَهْرِهٖ ۟ۙ
૧૦) હા ! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
فَسَوْفَ یَدْعُوْا ثُبُوْرًا ۟ۙ
૧૧) તો તે નષ્ટતા પોકારશે.
আৰবী তাফছীৰসমূহ:
وَّیَصْلٰی سَعِیْرًا ۟ؕ
૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّهٗ كَانَ فِیْۤ اَهْلِهٖ مَسْرُوْرًا ۟ؕ
૧૩) તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّهٗ ظَنَّ اَنْ لَّنْ یَّحُوْرَ ۟ۚۛ
૧૪) તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહિ આવે.
আৰবী তাফছীৰসমূহ:
بَلٰۤی ۛۚ— اِنَّ رَبَّهٗ كَانَ بِهٖ بَصِیْرًا ۟ؕ
૧૫) કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
আৰবী তাফছীৰসমূহ:
فَلَاۤ اُقْسِمُ بِالشَّفَقِ ۟ۙ
૧૬) હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّیْلِ وَمَا وَسَقَ ۟ۙ
૧૭) અને રાતની અને જે કઈ તે સમેટે છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالْقَمَرِ اِذَا اتَّسَقَ ۟ۙ
૧૮) અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
আৰবী তাফছীৰসমূহ:
لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍ ۟ؕ
૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.
আৰবী তাফছীৰসমূহ:
فَمَا لَهُمْ لَا یُؤْمِنُوْنَ ۟ۙ
૨૦) તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا قُرِئَ عَلَیْهِمُ الْقُرْاٰنُ لَا یَسْجُدُوْنَ ۟
૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.
আৰবী তাফছীৰসমূহ:
بَلِ الَّذِیْنَ كَفَرُوْا یُكَذِّبُوْنَ ۟ؗۖ
૨૨) પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.
আৰবী তাফছীৰসমূহ:
وَاللّٰهُ اَعْلَمُ بِمَا یُوْعُوْنَ ۟ؗۖ
૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.
আৰবী তাফছীৰসমূহ:
فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ ۟ۙ
૨૪) તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.
আৰবী তাফছীৰসমূহ:
اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟۠
૨૫) હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.
আৰবী তাফছীৰসমূহ:
 
অৰ্থানুবাদ ছুৰা: ছুৰা আল-ইনশ্বিক্বাক্ব
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

গুজৰাটী ভাষাত আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ। অনুবাদ কৰিছে ৰাবীলা উমৰী অধ্যক্ষ মৰকজুল বহুছুল ইছলামীয়্যাহ অত তালীম। নাদিয়াত গুজৰাট। প্ৰকাশ কৰিছে আল বিৰ ফাউণ্ডেচন, মুম্বাই। প্ৰকাশকালঃ ২০১৭ চন।

বন্ধ